Home >
આજકાલના યુવાનો સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે આટલા ટૂંકા પગારમાં તેઓ શું તો બચત કરે અને શું તો રોકાણ કરે. જ્યારે સેલેરી વધશે ત્યારે બચત કરીશું. પરંતુ જેવો પગાર વધે છે ભાઇ સાહેબનો ખર્ચ પણ વધી ગયેલો હોય છે, પછી તેને તેનો વધેલો પગાર પણ ઓછો લાગવા માડે છે અને ઘણા વર્ષો સુધી બચત જ નથી કરી શકતા. ત્યારે આવો સમજીએ 50:30:20ના નિયમનો ઉપયોગ કરીને તમે કેવી રીતે લાંબા ગાળે મોટું ભંડોળ ઉભું કરી શકો છો.
ભારતના પરિવારોની બચતમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ લોકોએ લીધેલી લોનમાં વાર્ષિક ધોરણે થયેલો 73 ટકા વધારો છે.
નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય પરિવારોની ચોખ્ખી બચત ઘટીને Rs 14.16 લાખ કરોડ થઈ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે.
DA વધીને 50% થવાથી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને હોસ્ટેલ સબસિડીમાં ઓટોમેટિકલી 25%નો વધારો થવાની સ્પષ્ટતા સરકારે કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.
નવા નિયમ હેઠળ, જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેણે જૂની સંસ્થામાંથી પીએફ ટ્રાન્સફર કરાવવા માટે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નહીં રહે.
નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ સમયે સારી એવી રકમ હોય, જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય. 55-60 વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે… રિટાયરમેન્ટ પછી, જો તેને નાની-નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે દુઃખ થાય છે... આવી પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ.. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? રિટાયરમેન્ટ માટે 555 રુલ શું છે...આવો તેના વિશે જાણીએ